1 કરોડ લોકોના ઘરોમાં સોલાર પેનલ લગાવવામાં આવશે, તમારે માત્ર એક ફોર્મ ભરવાનું રહેશે

PM Suryoday Yojana 2024: નમસ્કાર મિત્રો, આપણી ભારતીય સરકાર દ્વારા દેશમાં રહેતા નાગરિકોના વિકાસ માટે ઘણી બધી સરકારી યોજના ચલાવવામાં આવે છે. નવા વર્ષમાં આપણી કેન્દ્ર સરકાર દ્વારા એક નવી યોજના શરૂ કરવામાં આવેલ છે. આપણે જોઈ શકીએ છીએ તેમ વર્તમાન સમયમાં વીજળીના દરમાં વધારો થઈ રહ્યો છે અને તેની માંગમાં પણ વધારો થઈ રહ્યો છે તો આ બાબતને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવેલી છે. જેના કારણે વીજળીની માંગ પૂરી કરવામાં આવશે અને તેની કિંમતમાં પણ ઘટાડો થશે. અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે આ યોજનાનો લાભ મેળવી શકો છો.

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024 | PM Suryoday Yojana 2024

થોડાક દિવસો પહેલા જ આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના ની જાહેરાત કરવામાં આવેલ હતી. આ યોજનામાં સમગ્ર દેશભરમાં એક કરોડ ઘરની છત પર સોલર પેનલ લગાવવામાં આવશે. આ યોજનામાં તેના ઘરની છત પર 3 કિલોવોટ રૂફટોપ સોલર સિસ્ટમ લગાવવામાં આવશે. જેમાં લગભગ ૩૦૦ યુનિટી વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. જેના માટે આ યોજનામાં લગભગ ₹18,000 કરોડ ખર્ચ કરવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   SBI Pension Seva Portal: એસબીઆઇ પેન્શન સેવા પોર્ટલ, ઘરે બેઠાં મેળવો પેન્શનની તમામ માહિતી

સોલર પેનલ માં મળશે સબસીડી

તમારા ઘરની છત પર 3 કિલોવોટ સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે જેમાં લગભગ 72 હજાર રૂપિયાનો ખર્ચ થશે. સરકાર દ્વારા જણાવ્યા મુજબ 3 કિલોવોટ ના સોલર સિસ્ટમ પ્લાન્ટ પરિયોજનામાં લગભગ 1.26 લાખ રૂપિયાનું રોકાણ થશે જેમાં ગ્રાહક ને સરકાર દ્વારા ₹54,000 ની સબસીડી આપવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   Bagayati Yojana 2024: બાગાયતી યોજનાઓની ઓનલાઈન અરજીઓ ચાલુ @Ikhedut Portal

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના પાત્રતા

  • લાભ લેવા માટે ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • ઉમેદવાર ની વાર્ષિક આવક રૂપિયા 1 લાખ અથવા તો 1.5 લાખથી ઓછી હોવી જોઈએ.
  • તેના ઘરની છત પર સોલર રૂફટોપ સિસ્ટમ લગાવવા માટે પર્યાપ્ત માત્રામાં જગ્યા હોવી જોઈએ.
આ પોસ્ટ પણ વાંચો:   Janani Suraksha Yojana 2024 : જનની સુરક્ષા યોજના ગુજરાત સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓને મળશે 6000 ની સહાય, જાણો તમામ માહિતી

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • મોબાઈલ નંબર
  • વીજળીનું બિલ
  • આવકનું પ્રમાણપત્ર
  • રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • બેંક પાસબુક
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ જેની લીંક અમે નીચે આપેલી છે.
  • સૌપ્રથમ તમારા રાજ્યની પસંદગી કરો.
  • હવે ભાઈ વીજળીનું વિતરણ કરતી કંપની ની યાદી જોવા મળશે તેમાંથી તમારા ઘરે જે કંપનીની વીજળી આવતી હોય તેને સિલેક્ટ કરો.
  • હવે તમારી પાસે આવનારા એકાઉન્ટ નંબર ને દાખલ કરો તેના પછી તમને વીજળીના બિલ વિશે માહિતી આપવાનું કહશે.
  • હવે અહીં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • તમારી એપ્લિકેશન અપ્રુવ થયા પછી તમે કોઈપણ રજીસ્ટર્ડ ડિસ્કાઉન્ટ એટલે કે વીજળીનું વિતરણ કરતી કંપની થી પોતાના ઘરે સોલર સિસ્ટમ લગાવી શકો છો.

Leave a Comment