GSRTC Recruitment: ગુડ ન્યુઝ વાહન વ્યવહાર વિભાગમા કરાશે 11000 કરતા વધુ ભરતી,મંત્રીશ્રી એ કરી જાહેરાત

GSRTC Recruitment: ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નીગમ એટલે કે GSRTC એ જાહેર બસ સેવા પુરી પાડતી મોટી સંસ્થા છે. GSRTC નુ વિશાળ નેટવર્ક આખા રાજય મા વિસ્તરેલુ છે. એસ.ટી. વિભાગમા અવારનવાર મોટાપાયે ભરતી આવતી રહિ છે. એસ.ટી, વિભાગમા ભરતીઓની રાહ જોતા યુવાનો માટે ગુડ ન્યુઝ આવી રહ્યા છે. વાહન વ્યવહાર વિભાગમા 11000 કરતા વધુ જગ્યાઓ પર આ વર્ષે ભરતી કરવામા આવનાર છે.

HDFC Bank Supervisor Recruitment 2024: એચડીએફસી બેન્ક દ્વારા 13,105 પદો પર ભરતી

GSRTC Recruitment

રાજ્યનાં વાહન વ્યવહાર વિભાગમાં આગામી સમયમાં મોટી ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ આ ભરતી પ્રક્રિયા વર્ષ 2024 સુધીમાં પૂર્ણ કરવામાં આવનાર છે તેમ વાહન વ્યવહાર મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર વિભાગમાં 11 હજારથી વધુ કર્મચારીઓની ભરતી હાથ ધરવામા આવશે. વાહન વ્યવહાર વિભાગમાં ખાસ કરીને ટેકનિકલ અભ્યાસ, આઈટીઆઈ નો અભ્યાસ પૂર્ણ કરી સરકારી નોકરીની તૈયારી કરી રહેલ ઉમેદવારો માટે આ એક સુવર્ણતક છે. ઉલ્લેખનીય છે કે એસ.ટી. વિભાગમા ડ્રાઇવર અને કંડકટરની અવારનવાર મોટા પાયે ભરતી કરવામા આવે છે.

આ પોસ્ટ પણ વાંચો:  GSSSB Exam Fee Refund: CCE ની પરીક્ષા આપી છે તો ખાતામાં આવશે રુપીયા, જાણી લો જુનિયર ક્લાર્ક પરીક્ષાની તમામ વિગતો

ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક સહિતનાં કર્મચારીઓની ભરતી કરવામા કરાશે તેમ વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવી એ માહિતી આપી હતી.

ગુજરાત 108 માં ભરતી : GVK EMRI Recruitment 2024

રાજ્યનાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંધવીએ વિધાનસભામાં આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2024 નાં અંત સુધીમાં ગુજરાત સરકારનાં વાહન વ્યવહાર વિભાગમાં ડ્રાઈવર, કંડક્ટક, મિકેનિક સહિતની અગત્યની પોસ્ટ પર 11 હજાર કરતા વધારે કર્મચારીઓની ભરતી કરવામા આવનાર છે. તેમજ ચાલુ વર્ષેનાં અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામા આવશે

આ પોસ્ટ પણ વાંચો:  NHM accountant date assistant recruitment 2024 : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કચ્છ જિલ્લામાં ભરતી

વધુમા હર્ષ સંઘવીએ આ અંગે જણાવ્યું હતું કે, એસ.ટી. નિગમ નુકશાનમાંથી નફામાં આવ્યું છે. જે નફો હવે મુસાફરોને વધુ ઉપયોગી અને સારી સેવા આપવામાં વાપરવામાં આવનાર છે. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે. જ્યાં એસટીમાં મુસાફરોની સંખ્યામાં કાયમ થી કાયમ વધારો થઈ રહ્યો છે. અને લોકો એસ.ટી. ની વધુ સારી સેવાઓનો ઉપયોગ કરતા થયા છે. પહેલા એસટીમાં 25 લાખ મુસાફરો હતા જે વધીને 27 લાખ જેટલા મુસાફરો એસટીમાં મુસાફરી કરી રહ્યા છે.

મહત્વપૂર્ણ લીંક

આ ભરતી અંગેની વિડિયોઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment