સરકારની આ યોજના 2024માં હલચલ મચાવશે, 4 હજાર રૂપિયાનું રોકાણ થશે 22 લાખ રૂપિયા

Sukanya samriddhi Yojana 2024: નમસ્કાર મિત્રો, આપણે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા દેશમાં વસતા નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં ખેડૂતો માટે,મહિલાઓ માટે, ઉદ્યમીઓ માટે, શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ માટે આ યોજનાઓ ચલાવવામાં આવે છે. આજે અમે તમને આ લેખ દ્વારા દીકરીઓ માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક યોજના વિશે વાત કરીશું આ યોજનાનું નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના. તો ચાલો જાણીએ આ યોજના શા માટે છે અને તેનો કેવી રીતે લાભ મેળવી શકાય ?

Sukanya samriddhi Yojana 2024

જો તમારા કુટુંબમાં એક દીકરી છે અને તેના ઉજ્જવલ ભવિષ્યની તમે ચિંતા કરી રહ્યા છો અને તેના અભ્યાસ તેમજ લગ્ન માટે પૈસા વિશે વિચારી રહ્યા છો તો તમે સરકારની આ યોજનાનો લાભ મેળવી શકો છો જેમાં તમને આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજનામાં જો તમે થોડી થોડીક રકમ સાથે રૂપિયા 60000 સુધી પૈસા જમા કરો છો તો જ્યારે આ યોજના ની મેચ્યોરિટી થશે તો તમને રૂપિયા ૩૩ લાખ 25 હજાર ની રકમ મળશે. અને જો ન્યૂનતમ 5000 રૂપિયા સુધીની પણ પૈસાની જમાવટ કરો છો તો તમને વળતર પેટે ₹27,71,000 મળશે.

એક ઉદાહરણ તરીકે જો તમે રૂપિયા 3,000 માસિક રૂપે આ યોજનામાં જમા કરાવો છો તો જ્યારે મેચ્યોરિટી આવશે ત્યારે તમને 16,62,000 ની રકમ મળશે. જો તમે માસિક રૂપિયા 250 નું રોકાણ કરો છો તો તમને ₹1,38,000 મળશે જેમાં 8.2% વ્યાજ દર મળે છે. અને આ યોજનામાં તમારે કોઈ ટેક્સ ભરવાનો હતો નથી.

આ પોસ્ટ પણ વાંચો:   Ayushman Bharat Yojana: 5 લાખ સુધી મફત સારવાર, આયુષ્માન ભારત યોજના સંપૂર્ણ માહિતી

કોણ લાભ લઈ શકે છે આ યોજનાનો ?

સુકન્યા સમૃદ્ધિ યોજના એક પોસ્ટ ઓફિસ યોજના છે જેમાં તમે રૂપિયા 6,000 માસિક રોકાણ કરીને શરૂ કરી શકો છો અને જ્યારે આ યોજના પુખ્ત બને ત્યારે તમને 33 લાખ થી વધુ રૂપિયાની સહાય મળશે. તમે પોતાની દીકરીના નામ પર આ યોજનામાં રોકાણ કરી શકો છો પરંતુ મહત્વની વાત એ છે કે આ યોજનામાં રોકાણ કરવા માટે તમારી દીકરીની ઉંમર 10 વર્ષ કરતાં વધુ ન હોવી જોઈએ.

જો તમારી દીકરી છે અને તેની વર્તમાન ઉંમર 10 વર્ષ કરતાં ઓછી છે તો તમે આ સુકન્યા સમૃદ્ધિ યોજના નો લાભ લઈ શકો છો જેમાં તમારે વાર્ષિક ન્યૂનતમ 250 અને મહત્તમ તમે જેટલા ઈચ્છો તેટલા પૈસા જમા કરાવી શકો છો. જો તમારી એ કરતા વધારે દીકરી હોય તો તે દરેકના નામ પર તમે શું કન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી શકો છો અને તેના ખાતાને સારી રીતે સંભાળી શકો છો.

જો તમે તમારી દીકરી ના ભવિષ્ય માટે અત્યારે આ યોજનાનો લાભ મેળવવા માટે સુકન્યા સમૃદ્ધિ અથવા તો પોસ્ટ ઓફિસ ખાતું ખોલવા ઈચ્છો છો તો તમે તમારી નજીકના પોસ્ટ ઓફિસ અથવા તો બેંકમાં જઈ શકો છો અને આ યોજનામાં એકાઉન્ટ ખોલાવી શકો છો.

આ પોસ્ટ પણ વાંચો:   Pm Yasaswi Scholarship Yojana 2024: વિધ્યાર્થીઓને 75,000/- થી 1 લાખ 25 હજારની સહાય મળશે

કેટલો છે આ યોજનાનો સમયગાળો ?

જો તમે અત્યારે આ યોજના માં રોકાણ કરી રહ્યા છો તો તમારે આગળના 15 વર્ષ સુધી સતત તેમાં પૈસા જમા કરાવવાના રહેશે. તમે અત્યારે ઓછામાં ઓછા 250 રૂપિયાથી શરૂ કરી શકો છો અને તેને 15 વર્ષ સુધી ચાલુ રાખી શકો છો. આ યોજનામાં તમે વાર્ષિક રૂપે મહત્તમ 1.5 લાખ રૂપિયા નો રોકાણ કરી શકો છો.

તમે જેટલા પણ માસિક રૂપે રોકાણ કરો છો તે બધા મળીને વાર્ષિક ₹1,50,000 થી વધુ થવા જોઈએ નહીં. ઉદાહરણ તરીકે તમે માસિક રૂપે 250, 300,400, 500 એમ કુલ 6000 રૂપિયા સુધી રોકાણ કરી શકો છો.

તમને જમા કરાવવામાં આવેલી રકમ 21 વર્ષ પછી 8.2% ના વ્યાજ દર પર પાછી આપવામાં આવશે 15 વર્ષ થઈ ગયા પછી તમારે આ યોજનામાં વધારે રોકાણ કરવાની જરૂર નથી.

તમારા રોકાણની રકમ આવનારા 21 વર્ષ પછી બેચર થશે અને જમા કરાવવામાં આવેલી તમામ પૈસાની રકમ તમને પાછી આપવામાં આવશે એટલે કે આ યોજનાની પાકની મુદત 21 વર્ષ છે પરંતુ તેમાં તમારે 15 વર્ષ સુધી દર મહિને પૈસા જમા કરાવવાના રહેશે. 15 વર્ષ પછી આગળના છ વર્ષ સુધી તમે જમા કરાવેલ રકમ પર વ્યાજ દર મળતું રહેશે જેના કારણે પુખ્તતા સમયે મોટી રકમ બની જાય છે.

રૂપિયા 6,000 ના રોકાણ પર કેટલું મળશે વળતર

જો તમે આજથી તમારી દીકરી ના નામ પર સુકન્યા સમૃદ્ધિ યોજના નો લાભ લઇ માસિક રૂપિયા 6000 ના રોકાણની શરૂઆત કરો છો તો તમે એક વર્ષમાં આ યોજનામાં 72 હજાર રૂપિયાનું રોકાણ કરશો એટલે કે 15 વર્ષમાં તમે કુલ 10,80,000 રૂપિયા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરશો.

આ પોસ્ટ પણ વાંચો:   Vahli Dikri Yojana Gujarat 2024: વ્હાલી દીકરી યોજના

વર્તમાન સમયમાં આ યોજનામાં તમને 8.2% નું વ્યાજ દર મળે છે જેના લેખે તમને 15 વર્ષ પછી 22,45,237 રૂપિયા મળશે. અને પાકની મુદત ની રકમ એટલે કે 21 વર્ષ પછી તમને આ યોજનાથી 33,25,237 રૂપિયા વળતર આપવામાં આવશે.

પાકની મુદત પહેલા બંધ કરી શકાય કે નહીં ?

અને તમને આ યોજનામાં એવો પણ પ્રશ્ન થશે કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવ્યા પછી તેની પાકવાની મુદત પહેલા તેને બંધ કરી શકાય કે નહીં . તો તેનો જવાબ છે હા. તમે આ યોજનાને વચ્ચેથી બંધ કરી શકો છો પરંતુ ત્યારે તમારે તેનું કારણ જણાવવું પડશે કે તમે શા કારણે આ યોજના બંધ કરી રહ્યા છો.

જો તમે આ યોજનામાં એકાઉન્ટ ખોલાવ્યું છે તો તેને જ્યારે 5 વર્ષ પૂરા થાય તો તેને તમે બંધ કરી શકો છો અને જ્યારે કોઈ આપત્તિજનક પરિસ્થિતિ હોય એટલે કે તેમનું અવસાન થાય અથવા તો કોઈ ગંભીર બીમારી હોય તો તમે આ યોજનાને તાત્કાલિક ધોરણે બંધ કરી શકો છો. જો તમે આ યોજનામાં વચ્ચેથી બંધ કરી દો છો તો તમને તમારા રોકાણની રકમ પાછી આપવામાં આવશે પરંતુ તેના પર કોઈ વ્યાજ દર આપવામાં આવશે નહીં.

Leave a Comment