Pm Yasaswi Scholarship Yojana 2024: વિધ્યાર્થીઓને 75,000/- થી 1 લાખ 25 હજારની સહાય મળશે

Pm Yasaswi Scholarship Yojana:પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના (Pm Yasaswi Scholarship Yojna 2024) એ ભારતીય સરકારની એક મહત્ત્વની યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે પછાત વર્ગોના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજના અંતર્ગત, પાત્ર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તરીકે નાણાં મળતા હોય છે, જે તેમના શૈક્ષણિક ખર્ચો, શાળાની ફી, પુસ્તકો અને અન્ય શૈક્ષણિક જરૂરિયાતો માટે ઉપયોગમાં લઈ શકાય છે. આ યોજના વિશે વિગતવાર માહિતી આગળ મેળવીશુ.

Pm Yasaswi Scholarship Yojna 2024

પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે પછાત વર્ગોના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને નાણાકીય સહાય આપીને તેમને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરવો છે. પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ધોરણ 9, 10, 11, 12ના વિદ્યાર્થીઓને રૂ. 75,000 થી રૂ. 1.5 લાખ સુધીની સહાય પૂરી પાડે છે. આ યોજના દ્વારા, આ વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને વૈવિધ્યસભર વિકાસને પ્રોત્સાહન આપીને તેમના જીવનમાં સુધારો લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેથી તેઓ આગળ વધી સમાજમાં સફળતાની નવી ઊંચાઈઓ સર કરી શકે.

પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજનાના ફાયદા શું છે? 

  • આ યોજના વિદ્યાર્થીઓને તેમના શિક્ષણ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે, જે શાળાની ફી, પુસ્તકો, સ્ટેશનરી અને અન્ય શૈક્ષણિક ખર્ચોને આવરી લે છે.
  • ભારતીય વિદ્યાર્થીઓને આવાસ ખર્ચ માટે દર મહિને ₹3000 મળશે.
  • પુસ્તકો અને સ્ટેશનરી ખરીદવા માટે વાર્ષિક ₹5000 ની નાણાકીય સહાય આપવામાં આવશે.
  • વિદ્યાર્થીઓને UPS પ્રિન્ટર અને બ્રાન્ડેડ લેપટોપ ખરીદવા માટે રૂ. 45000 મળશે.
આ પોસ્ટ પણ વાંચો:  Manav Kalyan Yojana 2025

પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ કેટલી સહાય મળશે? 

  • 9મી અને 10મી ધોરણના વિદ્યાર્થીઓને દર વર્ષે ₹75,000 સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
  • 11મી અને 12મી ધોરણના વિદ્યાર્થીઓને દર વર્ષે ₹1,25,000 સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
  • લાભાર્થી વિદ્યાર્થીઓને આવાસ માટે દર મહિને રૂ. 3,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે.
  • યોજના હેઠળ, પુસ્તકો અને સ્ટેશનરી ખરીદવા માટે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને દર વર્ષે 5,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે.
  • UPS અને પ્રિન્ટર તેમજ બ્રાન્ડેડ લેપટોપ ખરીદવા માટે ₹45,000 ની સંપૂર્ણ નાણાકીય સહાય આપવામાં આવશે.

પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ હેઠળ કોને કોને લાભ મળશે?

  • ભારતીય નાગરિક હશે તમને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર થસે.
  • અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના વિદ્યાર્થીઓ: આ યોજના SC અને ST વર્ગના વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળશે.
  • અન્ય પછાત વર્ગ (OBC) ના વિદ્યાર્થીઓ: આ વર્ગના વિદ્યાર્થીઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
  • આવક મર્યાદા: વિદ્યાર્થીઓના પરિવારની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.
  • મે માન્ય શાળામાંથી 9મા કે 11મા ધોરણમાં અભ્યાસ કર્યો હોવો જોઈએ. તમારે 8મા કે 10મા ધોરણમાં 60% કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા હોવા જોઈએ
આ પોસ્ટ પણ વાંચો:  Ikhedut Portal Registration Gujarat 2023-24: આઇ ખેડૂત યોજના માટે અરજી કેવી રીતે કરવી જાણો અહિયાં થી

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ 

  • આધાર કાર્ડ: વિદ્યાર્થીઓનો અને તેમના માતાપિતાનો આધાર કાર્ડ.
  • જન્મ પ્રમાણપત્ર
  • સ્કૂલ આઈડી કાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર: SC, ST અથવા OBC વર્ગમાં આવતી જાતિનો પુરાવો.
  • આવક પ્રમાણપત્ર
  • મોબાઇલ નંબર
  • ઈમેલ આઈડી
  • રહેઠાણ પ્રમાણપત્ર
  • છેલ્લા પરીક્ષા પરિણામની નકલ
  • પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ

અરજી કેવી રીતે કરવી?

  • ઓનલાઈન અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર નેશનલ સ્કોલરશીપ પોર્ટલ, https://scholarships.gov.in/ પર જાઓ.
  • પ્રથમ વખત અરજી કરનારાઓ માટે, “New Registration” વિકલ્પ પર ક્લિક કરો.
  • તમારી મૂળભૂત વિગતો (જેમ કે નામ, જન્મતારીખ, મોબાઇલ નંબર, ઇમેઇલ આઈડી) અને એક પાસવર્ડનો ઉપયોગ કરીને રજિસ્ટ્રેશન કરાવો.
  • રજિસ્ટ્રેશન થયા પછી, આપેલ લોગિન આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને વેબસાઇટ પર લોગિન કરો.
  • લોગિન કર્યા પછી, અરજી ફોર્મ (Application Form) ખોલો અને જરુરી માહિતી ભરો.
  • દરેક જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.
  • આખી અરજીની ચકાશણી કરો અને ખાતરી કરો કે તમામ માહિતી સાચી છે.
  • ચકાશણી કર્યા પછી, “Submit” બટન પર ક્લિક કરીને અરજી સબમિટ કરો.
  • અરજી સબમિટ કર્યા પછી, સ્ક્રીન પર મળેલ કન્ફર્મેશન સંદેશ અને અરજી નંબર સેવ કરો.

મહત્વપૂર્ણ લીંક

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment